ચરખાથી અપરિચિત લોકને ચરખાનો પરિચય કરાવશે ‘સ્વ-અધ્યયન’ પ્રોજેકટ

ગુજરાત: ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે તથા ગાંધીજીનાં રેંટિયાની ખરી શક્તિ લોકો સુધી પહોંચાડવા માટે 3જી ઓક્ટોબર, 2021નાં રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ, એક્ટ ફાઉન્ડેશન તથા સુકૃત પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ‘સ્વ-અધ્યયન’ નામનાં એક અનોખા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. ગાંધીજીનાં સમૂહ પ્રાર્થના અને સમૂહ કાંતણનાં વિચારને ચરિતાર્થ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં ચરખો કાંતીને તેના થકી સ્વ-અધ્યયન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થકી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કાર્યક્રમમાં આવેલા મહેમાનોને વિદ્યાર્થીઓ દ્વારા ખાસ ચરખા કાંતણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં ગુજરાત વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓએ એક્ટ ફાઉન્ડેશન અને સુકૃત પરિવાર ચેરિટેબલ…

ધોરણ 12 અને પોલિટેક્નિક કોલેજોને મળી ઓફલાઇન વર્ગોની મંજૂરી

ગુજરાત: 15 જુલાઈ 2021થી ધોરણ 12 અને પોલિટેકનિક કોલેજોને 50% સંખ્યા સાથે ઓફલાઇન શિક્ષણ કરી શરૂ કરવા માટે મળી મંજૂરી. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વિદ્યાર્થિની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ઓફલાઇન ક્લાસ ભરવાના હોય તેવા વિદ્યાર્થીના વાલીઓની લેખિત મંજૂરી ફરજિયાત રીતે લેવામાં આવશે. હાજરી દરમિયાન વિદ્યાર્થીઓએ SOPનું ચુસ્ત પણે પાલન કરવાનું રહશે. સોશિયલ ડિસટેન્સ તેમજ હાથ ધોવા માટેની પૂરતી સગવડ સંસ્થાએ કરવાની રહશે . કોર કમિટીની બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્ય સચિવ…

એક અનોખા શિક્ષક જેના કપડાં ક્યારેક ગણિત શીખવે, તો ક્યારેક અંગ્રેજી

ગુજરાત: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની હરીનગર ગામની શાળાનાં શિક્ષક શ્રી નિલમભાઇ ચમનભાઇ પટેલે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કોરોના મહામારી સમયમાં નાના ભૂલકાંઓને શાળામાં આવવાનું ન હોઇ બાળકોના ઘરે જઈને શેરી શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે. આ કાર્ય દરમિયાન તેમને પોતાના રોજબરોજના પહેરાતા ઝભ્ભા,શર્ટ પર બાળકોને અઘરા પડતા મૂળાક્ષરો જેવા કે સ,ક્ષ,ષ,ઉ,અ, જોડીયા શબ્દો, સરવાળા,બાદબાકી,ગુણાકારની પ્રક્રિયા, હિન્દીના શબ્દો અંગ્રેજી સ્પેલીંગોનું પેઇન્ટીંગ કર્યું છે, જેથી બાળકો આ સાહેબના પહેરેલા કપડાં પર જોઈને શિક્ષણ કાર્ય કરે છે. નિલમભાઇ ભૂલકાંઓને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો ખૂબજ સરાહનીય પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ સાથે…

ગુજરાત યુનિવર્સિટીનું ‘ઉનાળુ વેકેશન’ 5 જૂન સુધી

ગુજરાત યુનિવર્સિટી ભવનો,અનુસ્નાતક કેન્દ્રો તથા સંલગ્ન કોલેજોમાં વેકેશન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા 01 મે થી તા. 05 જૂન સુધી   કોરોના મહામારીનું સંક્રમણ થતુ અટકાવવા અને તેની તકેદારીના પગલારૂપે રાજ્ય સરકાર-શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટીઓ,સંલગ્ન સરકારી ,ગ્રાંટ -ઇન-એઇડ અને ખાનગી કોલેજોમાં, શૈક્ષણિક વર્ષ 2020 – 2021 ના એકેડેમિક કેલેન્ડરમાં યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગો અને સંલગ્ન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા. 01/05/2021 થી તા. 05/06/2021 સુધીનુ ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું છે. આ પરિપત્ર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ તેમજ અનુસ્નાતક કેન્દ્રના વડાશ્રીઓ તરફ તથા વિનયન,વિજ્ઞાન,વાણિજ્ય,શિક્ષણ,અને કાયદા વિદ્યાશાખાની સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા પ્રમુખશ્રીઓ…

CBSE ની ધોરણ 10ની પરીક્ષા કરી રદ અને ધોરણ 12ની મોકૂફ

નેશનલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ શિક્ષણ મંત્રાલયે 12 ધોરણની પરીક્ષા મુલતવી રાખવાની અને વર્ગ 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. CBSC ધોરણ 12 બોર્ડ માટે, 1 જૂને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ નવી તારીખોની ઘોષણા કરવામાં આવશે. દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના સંકટ વચ્ચે CBSEની પરીક્ષાઓને લઈને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.CBSEની ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. તો સાથે જ ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

માહિતી નિયામકની કચેરીની ભરતીની પ્રિલિમિનરી પરીક્ષા તથા GPSC આયોગની વિવિધ પરીક્ષા મોકૂફ

ગુજરાતી: માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, 22 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવી હતી. ઉક્ત વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી પરંતુ કોરોનાનાં વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની…

માહિતી ખાતાની પરીક્ષા આપનાર પરીક્ષાર્થી, સરકારની માહિતીથી અસંતુષ્ટ

ગુજરાત: ઢગલા બંધ અફવાઓ વચ્ચે મુખ્યમંત્રીએ ગુજરાતની જનતા સમક્ષ જણાવવું પડ્યું કે “મારા પુત્રનાં લગ્નની વાત એક અફવા છે ” અને જો આ અફવા ન હોત તો મુખ્યમંત્રી એમની ગરિમા સાચવવા અથવા સમાજ કલ્યાણ હિતાર્થે એમનાં પુત્ર ઋષભ રૂપાણીનાં લગ્નને અટકાવી જ દેત કેમકે કોરોનાનાં રોજની ગંભીરતા એક મુખ્યમંત્રી નહીં સમજે તો કોણ સમજશે કેમ કે એમને એમનો એક પુત્ર સાચવવાનો નથી એમના પર ગુજરાતનાં લાખો પુત્રોની જવાબદારી છે. એટલા માટે જ એ મુખ્યમંત્રી છે. છેલ્લા અઠવાડિયામાં ઢગલાબંધ પરીક્ષાઓ રદ થઇ છે અને આજે ASI PSI ની પરીક્ષા રદ કરવામાં…

PSI શારીરિક કસોટી મોકૂફ: પરીક્ષાર્થીઓને મળ્યો તૈયારી માટેનો વધુ સમય

એપ્રિલ 2021 માં લેવામાં આવનાર શારીરિક કસોટી સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવેલ છે. થોડા દિવસ પહેલા જ ટ્વીટ કરીને માહિતી આપાઈ હતી કે પરીક્ષા રાબેતા મુજબ જ લેવામાં આવશે.  જો કોઈ પરિક્ષાર્થીને કોરોના હશે તો તેના માટે ખાશ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરંતુ  ગઈ કાલે મુખ્યમંત્રીની જાહેરાત બાદ આજે ભરતી પ્રક્રિયાની વેબસાઇટ OJAS પર જાહેરાત કરવામાં આવી છે કે આ શારીરિક કસોટી આગમી સૂચના નાં મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલી છે.

ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનનાં કર્મચારી રાજેશભાઇ શાહ કોરોના સામે હારી ગયા : યુનિવર્સિટી શોકાતુર

ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં કાર્યરત કર્મઠ, ઉત્સાહી અને મૃદુભાષી, પૂર્વ મંત્રી જનરલ એમ્પ્લોઈ યુનિયન, GUSSRC ના કારોબારી સદસ્ય એવા કર્મચારીશ્રી રાજેશભાઇ શાહ આજે સવારે 6.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓને 10 દિવસ પહેલા શરદી-ઉધરસ ની તકલીફ થઈ હતી.કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શૈલયા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઓક્સિજન ઓછો પડતા ગઈકાલે સાબરમતી – તપોવન સર્કલ વચ્ચે આવતી SMS હોસ્પિટલમાં સારવાર માટે જતા રસ્તામાં જ થોડી સમસ્યા થઇ. SMS હોસ્પિટલમાં પહોંચ્યા પછી વેન્ટિલેટર પર રાખ્યા હોવા છતાં પણ તેમનું શરીરે સાથ આપ્યું નહોતુ. તેમના પરિવારમાં તેમના પત્ની સોનલબેન દીકરી મૈત્રી (થોડા…

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ કરાઈ મોકૂફ

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ 12 એપ્રિલે અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ ગુજરાત: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. BA,BSC,BBA,BCA,B.ED, B.COM.ની પ્રથમ સેમની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસને પગલે આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો યુનિવર્સીટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ રહેશે મોકૂફ યુનિવર્સિટીનાં તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ…