આયુર્વેદિક ડોક્ટર કરી શકશે સર્જરી દેશમાં સર્જનની અછત મહદઅંશે થશે દૂર માસ્ટર્સના અભ્યાસક્રમમાં કરાશે થોડો ફેરફાર નેશનલ: સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓને સર્જરી અભ્યાસક્રમનો ભાગ હતી પરંતુ તે લોકો સર્જરી કરી શકે કે નહીં તે માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ સરકારના આ નિર્ણય બાદ સ્પષ્ટતા મળી છે કે કોણ સર્જરી કરી શકશે અને કોન નહીં. કેન્દ્ર સરકારે આયુર્વેદ ડોક્ટરને લઈને મોટો નિર્ણય લીધો છે. આયુર્વેદ…