સંસદ ભવનનો શિલાન્યાસ, પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું; ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત

નવા સંસદ ભવનના નિર્માણનો શિલાન્યાસ આજે પૂર્ણ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કાર્યક્રમમાં ભૂમિપૂજન કર્યું હતું. ઇન્ડિયા ગેટ નજીક સેન્ટ્રલ વિસ્ટા પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ નવી ઇમારતનો આ કાર્યક્રમ પ્રતીકાત્મક રૂપે શિલાન્યાસ કરશે. પરંતુ તેનું નિર્માણ હજી શરૂ થઈ શક્યું નથી કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી ચાલી રહી છે. સંસદનું આ નવું મકાન 20,000 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના 13.4 કિલોમીટર લાંબા રાજપથ પર આવતા સરકારી ઇમારતોનું ર્નિર્માણ કરવામાં આવશે.

ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત


1. નવા સંસદ ભવનનો શિલાન્યાસ ગુરુવારે કરવામાં આવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ભૂમિપૂજન કર્યું હતું. વડા પ્રધાને નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો.


2. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામી રહેલી આ ચાર માળની ઇમારત 64,500 ચોરસ મીટરમાં ફેલાશે અને નિર્માણ માટે કુલ 971 કરોડનો ખર્ચ થશે. સંભવ છે કે તેનું નિર્માણ કાર્ય ઓગસ્ટ 2022 એટલે કે દેશનાં 75માં સ્વાતંત્ર્ય દિન સુધીમાં પૂર્ણ થઈ જશે.


3. આ બિલ્ડિંગમાં લોકસભાનાં ગૃહમાં કુલ 888 સભ્યોની બેસવાની ક્ષમતા હશે. જ્યારે સંયુક્ત સત્રમાં તેને વધારીને 1224 સભ્યો કરવાનો વિકલ્પ પણ રાખવામાં આવશે. રાજ્યસભાનાં ગૃહમાં કુલ 384 સભ્યો બેસી શકશે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેની જગ્યા વધારવાનો વિકલ્પ પણ રાખવામાં આવશે. હાલમાં લોકસભામાં કુલ 543 સભ્યો બેસી શકે છે, જ્યારે રાજ્યસભામાં કુલ 245 સભ્યોની બેઠક છે.


4. દરેક સંસદસભ્યને શ્રમ શક્તિ ભવનમાં 40 ચોરસ મીટરની ઓફિસની જગ્યા આપવામાં આવશે. આ બિલ્ડિંગનું નિર્માણ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ નવી ઇમારત દેશનાં ગૌરવપૂર્ણ ઇતિહાસની ઝલક પણ બતાવશે, જેમાં દેશભરનાં અનેક કલાકારો અને કારીગરો યોગદાન આપશે.


5. હાલના સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થયાના છ વર્ષ પછી, 18 જાન્યુઆરી 1927 ના રોજ ખોલવામાં આવ્યું હતું. ગોળાકાર આકારમાં અને 144 કોલમથી બનેલી આ ઇમારત સર એડવર્ડ લ્યુટિયન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, જેમણે ઉત્તર દિલ્હીથી મધ્ય દિલ્હીનાં કનોટ પ્લેસ સુધી ડિઝાઇન કરી હતી.


Related posts

Leave a Comment