પ્રધાનમંત્રીએ “આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ” નામના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લોકો અને દેશના સપના અલગ નથી અને દેશની પ્રગતિમાં જ આપણી પ્રગતિ રહેલી છે. આ લાગણી અને સમજણ નૂતન ભારતમાં લોકોની સૌથી મોટી તાકાત બની રહી છે. આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ થી સ્વર્ણિમ ભારત તરફ કાર્યક્રમના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશને દરેકના સહયોગ અને પ્રયાસોની જરૂર છે. એવી વ્યવસ્થા વિકસાવવાની જરૂર છે જેમાં ભેદભાવ માટે કોઈ સ્થાન ન હોય અને જે સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર હોય. તેમણે કહ્યું, દેશ એક નવા ભારતનો સાક્ષી છે…

એમેઝોન પ્રાઇમ વિડિયોએ તેના આગામી હિન્દી કૃતિસંગ્રહ, અનપોઝ્ડ: નયા સફરમાંથી એક નવું ગીત રજૂ કર્યું

મનોરંજન: એમેઝોન ઑરિજિનલ અનપોઝ્ડ: નયા સફરના ટ્રેલરને લોન્ચ કર્યા પછી સ્ટ્રીમિંગ સર્વિસે ચૂંટેલા કાવ્યસંગ્રહમાંથી એક મનભાવન અને સુખદ ટ્રેક નયા સફરનું આજે અનાવરણ કર્યું હતું. સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા રચિત આ ગીત ફિલ્મની થીમની જેમ જ આશા અને સકારાત્મકતાનો સંદેશો રજૂ કરે છે. અમિત મિશ્રાએ તેને ગાયું છે અને જેમાં શેખસ્પિયરનું રેપ પણ છે. નયા સફરના ગીતો કૌસર મુનીરે લખ્યા છે. આ ગીત વિશે વાત કરતાં, સંગીતકાર જોડી સચિન સંઘવી અને જીગર સરૈયાએ જણાવ્યું હતું કે, “નયા સફર ગીત કૃતજ્ઞતા અને નવી શરૂઆતના વિષયની આસપાસ છે. આપણા જીવનમાં એવો સમય…