ફેક ન્યૂઝ બનાવીને અક્ષય કુમારનું નામ ઢસડનાર યુટ્યૂબર ની થઈ ધરપકડ કોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા અને તપાસમાં સહયોગ કરવાનો આદેશ આપ્યો. નેશનલ: બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારે એક યુટ્યુબર સામે કરોડોનો માનહાનિ નો દાવો કર્યો છે, જેણે ફેક ન્યૂઝ(બનાવટી-ખોટા સમાચાર) ફેલાવ્યા હતા. અક્ષયે રાશીદ સિદ્દીકી નામના યુટ્યુબર સામે 500 કરોડનો માનહાનિ નો દાવો કર્યો છે જેણે સુશાંતસિંહ રાજપૂત કેસમાં તેમનું નામ ઢસડ્યું હતું. સિદ્દીકીએ અગાઉ આ બનાવમાં ફેક ન્યૂઝ ફેલાવવા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર મંત્રી આદિત્ય ઠાકરેનું નામ પણ ઢસડયું હતું, જેમાં તેની ધરપકડ કરવામાં આવી…