બિનજરૂરી રીતે ઘરની બહાર ન નિકળવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ. કોરોનાના વધતાં સંક્રમણ ને ધ્યાને લઇ કલેકટરનો શહેરીજનો જોગ વધુ એક સંદેશ આપ્યો છે, આજે 03 વાગ્યા સુધીમાં 124 પોઝિટીવ કેસ નોંધાયા. જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ટેસ્ટીંગ પ્રક્રિયા પણ વધારવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારમાં 1,470 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,939 મળી કુલ 3,409 લોકોનાં કોરોનાલક્ષી ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં ગત્ સાંજ સુધીમાં કુલ 4,57,524 લોકોનાં કોરોનાનાં ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યા છે, જ્યારે શહેરમાં ગઈકાલ સુધીમાં કુલ 8,625 અને ગ્રામ્ય વિસ્તારમાં 2,833 પોઝિટિવ કેસ નોંધાયા છે.
Tag: CORONA
IIT મદ્રાસમાં કોવિડ-19નાં કેસ વધ્યા, તમિલનાડુએ તમામ કોલેજોમાં પરીક્ષણનાં આદેશ આપ્યા
IITમદ્રાસમાં કોરોના સંક્રમણમાં થયો વધારો ઉછાળાને કારણે વિભાગો, કેન્દ્રો, પ્રયોગશાળાઓ અને લાઇબ્રેરી બંધ કરી અધિકારીઓ તેનો આરોપ છાત્રાલયનાં મેસ પર નાખ્યો છે નેશનલ: IIT-મદ્રાસનાં આઠ વધુ વિદ્યાર્થીઓનો કોરોના વાયરસ માટેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પ્રીમિયર એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટનાં કુલ 191 કેસ જોવા મળ્યા છે. આ અઠવાડિયે સંસ્થામાં કોરોના વાયરસનાં કેસોમાં ઉછાળા વચ્ચે ગઈકાલે 141 લોકોની તપાસ થયા બાદ તાજેતરનાં નવા કેસો બહાર આવ્યા છે. અન્ના યુનિવર્સિટીમાં પણ છ વિદ્યાર્થીઓએ વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. તમિળનાડુનાં આરોગ્ય સચિવ જે. રાધાકૃષ્ણને કહ્યું કે વિદ્યાર્થીઓ સ્થિર સ્થિતિમાં હોવાનું જાણવા મળે છે. આઇડીઆઇટી-મદ્રાસે છાત્રાલયોમાં…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમીક્ષા કરી
નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયોકોન્ફરન્સ યોજી સમીક્ષા કરી. PM નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે માર્ગદર્શન આપવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. CM વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા અને સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી. CM વિજય…